Blogger Widgets

Friday, January 4, 2013

દર્દને દીલથી ક્યાં અળગું કરી શકો છો?


દર્દને દીલથી ક્યાં અળગું કરી શકો છો,
અશ્રુઓ માછલીનાં ક્યારે લુછી શકો છો?
જુદા કરી શકો છો કાંટાને ફૂલથી પણ,
ફોરમને ફૂલથી ક્યાં જુદી કરી શકો છો?
જુદા ભલેને પાડો વ્રુક્ષોનાં નામ અહીંયા,
છાયાનું નામ કરણ ક્યારે કરી શકો છો?
લહેરાયરણમાં એવું કે હાલ પી શકો છો,
મૃગજળને જામ માંહી ક્યારે ભરી શકો છો?
જીવનની સાંજે પણ વિસ્તરી જવાનું,
પડછાયો નિજનો સાંજે મોટો કરી શકો છો?
-નરેન્દ્રજોશી

No comments:

Post a Comment

thank you