Blogger Widgets

Wednesday, December 19, 2012

તારા ગયા પછી


આંસુને આંખમાં લઈ ક્યાં
સુધી જીવીશ હું ભલા
એના કિનારે તારી આંગળીઓનો
સ્પર્શ જો થઈ જાય
રહ્યો મઘુર રજનીની એક અપેક્ષા
લઈ દિલમાં હું,
જાગી જાઉં હું ઝબકીને સ્વપ્ન તારો
ચહેરો જો થઈ જાય
કઠોર તું થઈ જશે એટલી મને
ખબર  હતી કે,
કોમળ મારા દિલની વેદનાનો પણ
નાદ તને જો  સંભળાય
કહી દે મને માત્ર એકવાર મળીને
તું તારી દુનિયામાં
લેવો શ્વ્વાસ કેવી રીતે જેથી તુ  સમ
જો જીવી જવાય
નિરાધાર છે તૃષા મારી તારા પ્રણય કાજે,
અમૃત ધારા હવે રાહી’, છો અવિરત ઢોળાય અંત પ્રેમનો લાવવો હતો
આવી રીતે શોથી, ભલા
મળ્યા ને પડ્યા છૂટા કેમ?
શું વિયોગ તારાથી સહેવાય?
ચાહે તું મને કે  પણ ચાહે
 જગતમાં હવે,
પણ મારાથી મૃત્યુ પહેલાં
તો તને કદી ના વિસરાય
-રાકેશ એચ. વાઘેલા રાહી

No comments:

Post a Comment

thank you