Blogger Widgets

Wednesday, December 19, 2012

સ્વાર્પણ


છલકી રહ્યો સ્વાર્થ આજની દુનિયાદારીમાં,
મન મારું આજ રાચી રહ્યું કોઈના સ્વાર્પણમાં
કોઈ સંગત ભૂલાવે આજ સર્વસ્વને જાણે,
સ્વને વિસરાવું સહજ આજ કોઈના સંગમાં
ખબર મને એની એટલી કે
કદરની નહિ આશ
છતાં સમર્પણ વહી રહ્યું  એના નિસ્વાર્થમાં
ભાવ આપનો નિસ્વાર્થ નથી એનો કોઈ માપ
લાગે છે, છોડી દઊં સંબંધો માત્ર જે સ્વાર્થના
ઝંખના બસ એટલી, મળે નિર્મળ સંગજીવનમાં,
મારું ને તારું ભૂલાય,
બનીએ યાત્રી એક ધામના
-જગમાલ રામ સુવાસ

No comments:

Post a Comment

thank you