Blogger Widgets

Saturday, March 23, 2013

છે ક્ષણો હરદ્વારની


કોઈને બે ક્ષણ કરેલા પ્યારની,
રોજ ઉઘરાણી કરી આભારની.
ખૂન થાતું કોઈનું જોવાય; પણ,
કેમ એકલતા સહીશું યારની.
ફક્ત અંધારમાં ઉકલી શકે,
કોણ વાંચે વારતા અંધારની.
નોંધપોથી થઇ ગયો તારી છતાં,
નોંધ પણ લેવાય ના સ્વીકારની.
આજ પાછો છે ગઝલનો રાજયોગ,
આજ પાછી છે ક્ષણોહરદ્વારની.
--હરદ્વાર ગોસ્વામી.

No comments:

Post a Comment

thank you