Blogger Widgets

Saturday, March 23, 2013

નથી.


વખત તું સહેજ પણ વરસી નથી.
પાઠ તું દુષ્કાળના ભણતી નથી.
ત્યાં ગઝલનું ગામ નક્કી હોય છે.
જ્યાં વિશેષણની ગલી વળતી નથી.
તાલીઓના તાજ પહેરી શું કરું?
કોઈપણ સંવેદના હલતી નથી.
કવિને નામ મહેફીલ આજની,
જે કવિને દાદ પરવડતી નથી.
કેમ નતમસ્તક ઉભો છેહરદ્વારતું?
કોઈની તારા ઉપર તખતી નથી.
હરદ્વાર ગોસ્વામી

No comments:

Post a Comment

thank you