Blogger Widgets

Thursday, March 7, 2013

શૂન્ય પાલનપુરી


” ઇશ્વર સ્વરુપે જેને જગત ઓળખી રહ્યું,   એ ‘શૂન્ય’ની પિછાણ હતી, કોણ માનશે? “  -’શૂન્ય’ ના અવશેષ                                                      નામ  અલીખાન બલોચ ઉપનામ  ‘શૂન્ય’ , ‘રૂમાની’ , ‘અઝલ’ જન્મ  19, ડીસેમ્બર -1922;  લીલાપુર, અમદાવાદ   અવસાન  17, માર્ચ -  1987;  પાલનપુર માતા  નનીબીબી પિતા  ઉસ્માનખાન ભાઇ બહેન  ભાઇ – ફતેહખાન લગ્ન  ઝુબેદા સંતાનો  પુત્ર – તસમીન, ઝહીર ; પુત્રી- કમર, પરવેઝ અભ્યાસ  1938- મેટ્રીક – પાલનપુર 1940- બહાઉદ્દીન કોલેજ – જુનાગઢ માં અભ્યાસ અધૂરો મૂક્યો વ્યવસાય  1940- પાજોદ દરબાર- ‘રૂસવાના’ અંગત મંત્રી 1945-54 – અમીરબાઇ મિડલસ્કૂલ – પાલનપુર માં શિક્ષક 1957-60 નોકરી છૂટી, અમદાવાદ અને પાટણમાં નિવાસ પાટણમાં ‘ગીત ગઝલ ‘ માસિકનું પ્રકાશન 1962- મુંબાઇ સમાચારમાં નોકરી મૃત્યુ સુધી. પ્રદાન  કવિતા સંગ્રહ – ગુજરાતી -6, ઉર્દૂ -1, અનુવાદ- 1 મુખ્ય કૃતિઓ  ગઝલ – ગુજરાતી – શૂન્યનું સર્જન, શૂન્યનું વિસર્જન, શૂન્યના અવશેષ, શૂન્યનો દરબાર ગઝલ – ઉર્દૂ – દાસ્તાને ઝિંદગી અનુવાદ – ખૈયામ જીવન   1925 – ત્રણ વર્ષની વયે પિતાનું અવસાન, માતા સાથે પાલનૌર મોસાળમાં ઊછર્યા 1940 – રૂસવા’ના સંપર્કમાં આવ્યા 1940 – ‘રૂસવા’ હાજરીમાં ગુજરાતીમાં ગઝલ કરવાની શરૂઆત , મિત્ર અમૃત ઘાયલે ‘શૂન્ય’ ઉપનામ સૂચવ્યું.
પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

શૂન્ય પાલનપુરી


No comments:

Post a Comment

thank you