ભક્તો તારી ઈબાદત છોડી દેશે,
તો ઈશ્વર તારા અસ્તિત્વ નું શું?
બધાય કામ જો યંત્રો કરવાના
તો માણસ તારા અસ્તિત્વનું શું ?
જાહેરાત પ્રેમની કરું હું ગલીયોમાં
તો શરમ તારા અસ્તિત્વનું શું ?
હરિયાળીના ભોગથી કાગળ તું હોય,
તો કલમ તારા અસ્તિત્વનું શું?
લાલ ચોળ થતું જગ આખું,
તો બાપુ તારા અસ્તિત્વનું શું ?
મંજિલ હવે વાત ભૂલી ગઈ ,
તો દક્ષેશ તારા અસ્તિત્વનું શું?
-દક્ષેશ પ્રજાપતિ
No comments:
Post a Comment